જીવન જેવું જીવું છું, એવું કાગળ પર ઉતારું છું


જીવન જેવું જીવું છું, એવું કાગળ પર ઉતારું છું;
ઉતારું છું, પછી થોડું ઘણું એને મઠારું છું.
તફાવત એ જ છે, તારા અને મારા વિષે, જાહિદ!
વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું.

પ્રેમ એટલે


પ્રેમ એટલે આશ, પ્રેમ એટલે શ્વાસ…
પ્રેમ એટલે
આપણી વચ્ચેનો આ અતુટ વિશ્વાસ…

પ્રેમ એટલે
આપણા અલગ-અલગ સપનાઓને
એક તાંતણે બાંધવાનો પ્રયાસ…

પ્રેમ એટલે
એક મેકના મન તરફ, મન માટે
જીદંગીભરનો સુંદર પ્રવાસ…

પ્રેમ એટલે
આપણે બે હતા હવે એક થયા
જાણે આ ધરતી ને આકાશ…

પ્રેમ એટલે
તને ઓઢુ, તને પહેરુ, તને શ્વસુ
તુંજ રહે સદા મારી આસ-પાસ…..

-રાજીવ ગોહિલ

બાકી તો અંધારે પડછાયા પણ સાથ છોડી જાય છે…..


ક્યાં બધું અહીંયા રહી જાય્ છે ?
બધું સમયની સાથે વહી જાય છે.
મધ્ દરીયે ડુબેલી નાવો પાછી આવી જાય છે,
જીવનના ઘાવોંમાં પણ રુઝ આવી જાય છે,
સાથ મળ્યો મને આપનો – જીવનભર નીભાવજો,
બાકી તો અંધારે પડછાયા પણ સાથ છોડી જાય છે…..

ચાહે જે મને દિલથી


ચાહે જે મને દિલથી,
તેવી ચાહનાર શોધું છું,
વફાનો બદલો આપે વફાથી,
તેવી વફાદાર શોધું છું.
વિશ્વાસનો બદલો આપે વિશ્વાસથી,
તેવી વિશ્વાસુ શોધું છું.
દોસ્તીનો બદલો આપે દોસ્તીથી,
તેવી દોસ્ત શોધું છું.
દુઃખમાં જે આપે સાથ,
તેવો સાથી શોધુ છું.
જે સમજે દિલની વાત,
તેવી દિલરુબા શોધુ છું.
ખીલવે જે આ બગીચાને
તેવી વસંત શોધુ છું……

સૂરજ ને ક્ષિતીજ પર બૂઝતો જોયો છે


સૂરજ ને ક્ષિતીજ પર બૂઝતો જોયો છે,
ચાંદ ને અંધારાથી જુજતો જોયો છે,
જળ તો વહી ગયા રદય ને સ્પશીને,
પરંતુ આજે શ્શ્વાસ ને કોઇ ની રાહમાં અટકતો જોયો છે…

એક ધબકારો ચુકી ગયુ….


હદય પર હુમલો થયો અને ટુટી ગયુ,
લોકો એ કહ્યુ કે મનોબળ તુટી ગયુ,
નાહક તોફાન છે આ તબીબોનુ,
થયુ માત્ર એટલુ કે તમે યાદ આવ્યા અને એ એક ધબકારો ચુકી ગયુ….

આપણા મિલન માટે આ જનમ અધુરા લગ્યા


ધરતી ને ભીજવતા આજે વરસાદ અધુરો લાગ્યો.
મજિલ પામવાના આજે સપના અધુરા લાગ્યા.
મળવાનુ થયુ આપણુ થયુ એ રીતે કે.
આપણા મિલન માટે આ જનમ અધુરા લગ્યા.
પુછુ તો હુ કઇ રીતે તારા ધ્વાર સુધી ન રસ્તા.
એ પુછવા માટે તો આ દુનિયા અધુરી લાગી.
માગુ તો હુ માગુ કોની પાસે.
તને માગવા માટે તો આ ભગવાન પણ અધુરા લાગ્યા.
તારી યાદૉમા તડપવુ હતુ મારે.
પણ આજે મારી આખો ના આસુ અધુરા લાગ્યા……

તમારા જીવનનાં બગીચામાં હું પુષ્પ બની ખીલું તો સારું


તમારા જીવનનાં બગીચામાં હું પુષ્પ બની ખીલું તો સારું,
મારા જીવનરૂપી સમુદ્રમાં મોજા બની ઉછાળો તો સારું,
દિવસ સૂર્યને, રાત્રિ તારાને, નદી પાણીને વિસરી જાય,
પણ તમે મારાથી કદી વિસરો નહીં..તો સારું,
મારી આંખો ક્ષણભર તમને ભૂલી શકતી નથી,
ક્યારેક નજરથી નજર મિલાવો તો સારું,
તમે કેસુડાના સ્નેહરૂપી, મોગરાની ફોરમરૂપી,
કોયલની મીઠાસરૂપી મારા જીવનમાં આવો તો સારું,
હું તો તમારી રાહ જોઇ બેઠો છું જીવનમાં પણ
આ જીવ ક્ષણભર પણ પ્રતિક્ષા કરે….તો સારું..

પ્રેમી, પાગલ ને પરણેલાં


પ્રેમી, પાગલ ને પરણેલાં
રાશિથી ત્રણેય સરખાં,
સંબંધોના સાજમાં,
જાણે મૃગજળના સાથમાં.

સુંદર સૂરીલી સંવેદના,
અનામી શિખરોના શાખમાં,
ઝાંઝવાં તણા શમણાં ને
અમળાઈ ઉઠેલા ઉજાગરાં.

કોઈ કોરા પગલાની આશમાં,
મિલનચિત્ર માત્રને ચિતરતાં,
જીવતરમાં ભૂલ કે ભૂલમાં જીવતર,
આ જ….
‘અવઢવ’ માં એ હંમેશા અટવાતા….

તમે શ્યામ થઈને ફૂંકો મને વાંસળી બનાવો


તમે શ્યામ થઈને ફૂંકો મને વાંસળી બનાવો
પછી આભ થઈને વ્યાપો મને વાદળી બનાવો
તમે પર્વતો ઊઠાવો કે પછી કોઈ રથ બચાવો
મને ભાર કંઈ ન લાગે ભલે આંગળી બનાવો.
તમે આંખમાં વસો છો તમે શ્વાસમાં શ્વસો છો
અમે તોય તમને જોશું ભલે આંધળી બનાવો
ભલે અંગથી છૂટીશું, પણ સંગ યાદ રહેશે
તમે સાપ-રૂપ લો તો, મને કાંચળી બનાવો. પછી આભ થઈને વ્યાપો મને વાદળી બનાવો
તમે પર્વતો ઊઠાવો કે પછી કોઈ રથ બચાવો
મને ભાર કંઈ ન લાગે ભલે આંગળી બનાવો.
તમે આંખમાં વસો છો તમે શ્વાસમાં શ્વસો છો
અમે તોય તમને જોશું ભલે આંધળી બનાવો
ભલે અંગથી છૂટીશું, પણ સંગ યાદ રહેશે
તમે સાપ-રૂપ લો તો, મને કાંચળી બનાવો.

તમે કોન છઓ એ હુ નથી જાનતો


તમે કોન છઓ એ હુ નથી જાનતો.
તમે કોન છઓ એ હુ નથી જાનતો.
બસ તમને જોયા છે એ જ હુ જાનુ છુ.
પ્રેમ કર્વો એ ગુનહો છે એ હુ નથી જાનતો.
બસ આ ગુનહા મા પડયો છુ હુ એ જ હુ જાનુ છુ.
તમે બીજા સાથૅ બેઠા છો એ હુ નથી જાનતો.
બસ તમે મારા હ્દય મા છો એ જ હુ જાનુ છુ.
તમારુ જીવન કેવુ હશે હુ નથી જાનતો.
બસ મારુ જીવન રાત નુ અધારુ છુ એ જ હુ જાનુ છુ.
એ રાત હવે કયારે પુર થસે એ હુ નથી જાનતો.
બસ તમે પછા આવસો એ જ હુ જાનુ છુ.

દિવસો હણાઇ ગયા છે એના ગયા પછી


દિવસો હણાઇ ગયા છે એના ગયા પછી,
રાત લાંબી થાય છે એના ગયા પછી,
શબ્દોને શું કરું ફના થઇ જવાનો દેહ…
આંખો દ્રવી પડે છે હવે એના ગયા પછી,
ઝંખના હતી વરસોથી ફળી નહીં કદી,
ફળવાનાં સ્વપ્ન તૂટી ગયા એના ગયા પછી,
કોરાણે મૂકું આંસુને એ શક્ય છે નહીં,
આંસુ ખરે છે આંખથી એના ગયા પછી,
એ આવશે એ ધારણાં ખોટી પડી,
એ આવવાના પન નથી એના ગયા પછી…..
વિના બામણિયા

તમારા જીવનનાં બગીચામાં હું પુષ્પ બની ખીલું તો સારું


તમારા જીવનનાં બગીચામાં હું પુષ્પ બની ખીલું તો સારું,
મારા જીવનરૂપી સમુદ્રમાં મોજા બની ઉછાળો તો સારું,
દિવસ સૂર્યને, રાત્રિ તારાને, નદી પાણીને વિસરી જાય,
પણ તમે મારાથી કદી વિસરો નહીં..તો સારું,
મારી આંખો ક્ષણભર તમને ભૂલી શકતી નથી,
ક્યારેક નજરથી નજર મિલાવો તો સારું,
તમે કેસુડાના સ્નેહરૂપી, મોગરાની ફોરમરૂપી,
કોયલની મીઠાસરૂપી મારા જીવનમાં આવો તો સારું,
હું તો તમારી રાહ જોઇ બેઠો છું જીવનમાં પણ
આ જીવ ક્ષણભર પણ પ્રતિક્ષા કરે….તો સારું..

હિરેન ભાટિયા

ઉકળી ઊઠે તું એવા વિધાનો નહીં કરું


ઉકળી ઊઠે તું એવા વિધાનો નહીં કરું;
જા આજથી તને સવાલો નહી કરું.

મારી બધી મહાનતા ભૂલી જઈશ હું,
તકતીઓ ગોઠવીને તમાશો નહીં કરું.

એમાં વણાઈ ગ્યુંછે વણનારનું હુનર પણ,
હું એમાં મારી રીતે સુધારો નહીં કરું.

તું સાચવ્યાંના સઘળાં નિશાનોય સાચવીશ,
એથી જ તારે ત્યાં હું વિસામો નહીં કરું.

નારાજગી જ મારો સાચો સ્વભાવ છે,
એથી વધું હું કોઈ ખુલાસો નહીં કરું.

ચંદ્રેશ મકવાણા

માધવ ક્યાંય નથી મધુવનમાં


ફૂલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાં :
માધવ ક્યાંય નથી મધુવનમાં.

કાલિન્દીનાં જલ પર ઝૂકી
પૂછે કદંબડાળી,
યાદ તને બેસી અહીં વેણુ
વાતા’તા વનમાળી ?

લહર વમળને કહે, વમળ એ વાત સ્મરે સ્પંદનમાં :
માધવ ક્યાંય નથી મધુવનમાં.

કોઇ ન માગે દાણ
કોઇની આણ ન વાટે ફરતી,
હવે કોઇ લજ્જાથી હસતાં
રાવ કદી ક્યાં કરતી !

નંદ કહે જશુમતીને, માતા લાલ ઝરે લોચનમાં :
માધવ ક્યાંય નથી મધુવનમાં.

શિર પર ગોરસમટુકી
મારી વાટ ન કેમે ખૂટી,
અબ લગ કંકર એક ન લાગ્યો,
ગયાં ભાગ્ય મુજ ફૂટી ;

કાજળ કહે આંખોને, આંખો વાત વહે અંસુઅનમાં :
માધવ ક્યાંય નથી મધુવનમાં.

-હરીન્દ્ર દવે

જીવનની સાંજ છે ઢળી રહી ધીરે ધીરે!


જીવનની સાંજ છે ઢળી રહી ધીરે ધીરે!
મૃત્યુની “આજ” આવતી દીસે ધીરે ધીરે!

મારી આ દશા પર દયા ના લાવશો સ્વજન!
મારાંથી વાઝ ખૂદ હું આવું ધીરે ધીરે!

બેસો, હે મિત્રો! સાંભળો મારી દુ:ખી કથા!
અંતરનો આ અવાજ આવતો ધીરે ધીરે!

ગુસ્સો તમારાં દોષ પર ના થાય એટલે
બદલ્યો મિજાજ મેં જૂઓ કેવો ધીરે ધીરે!

સંબંધની તિરાડ સાંધવી નથી સહેલ!
જ્ખ્મોનો રાઝ પામતો ‘રવિ’ ધીરે ધીરે!

– રવિશંકર ઉપાધ્યાય

હું નથી ઇશ્વર, નવું સર્જન કરું


હું નથી ઇશ્વર, નવું સર્જન કરું.
માનવી છું, શેં પરિવર્તન કરું !

શક્યતાઓ પણ બને છે પહાડ જ્યાં,
હું નથી શ્રી કૃષ્ણ કે ગોવર્ધન વહું !

ચીર પાંચાળીનાં ના પૂરી શકું,
લોક્ની નજરે તો દુર્યોધન ઠરું !

કામ ના લાગ્યો નર્યો પુરુષાર્થ ત્યાં,
લેશ ના પ્રારબ્ધનું દર્શન થયું !

ના થયો ઠરી ઠામ હું કોઇ જ’ગા
ધ્યેય વિણ સતત ભ્રમણ કરું !

જીદગીથી દૂર ભાગ્યો છું ‘રવિ’,
મ્રુત્યુની સામે હું આકર્ષણ બનું !

– રવિશંકર ઉપાદ્યાય

એક દી સર્જકને આવ્યો, કૈં અજબ જેવો વિચાર


સર્જન
એક દી સર્જકને આવ્યો, કૈં અજબ જેવો વિચાર
દંગ થઈ જાય જગત, એવું કરું સર્જન ધરાર

ફૂલથી લીધી સુંવાળપ, શૂળથી લીધી ખટક
ઓસથી ભીનાશ લીધી, બાગથી લીધી મહક
મેરુએ આપી અડગતા, ધરતીએ ધીરજ ધરી
વૃક્ષથી પરમાર્થ કેરી, ભાવના ભેગી કરી

બુદબુદાથી અલ્પ્તા, ગંભીરતા મઝધારથી
મેળવ્યો કંકાસ મીઠો, મોજના સંસારથી
પ્રેમ સારસનો ઉપાડ્યો, પારેવાનો ફફડાટ
કાગથી ચાતુર્ય લીધું, કાબરોથી કલબલાટ
ખંત લીધી કીડીઓથી, મક્ષિકાથી શ્રમ અથાગ
નીરથી નિર્મળતા લીધી, આગથી લીધો વિરાગ

પંચભૂતો મેળવી, એ સર્વનું મંથન કર્યુ
એમ એક ‘દી સર્જકે એક નારીનુ સર્જન કર્યુ
દેવદર્લભ, અવનવી આ શોધ જ્યાં બીબે ઢળી
એ દિવસથી દર્દ કેરી ભેટ દુનિયાને મળી ]

-“શૂન્ય” પાલનપુરી

પરિચય છે મંદિરમાં દેવોને મારો


પરિચય છે મંદિરમાં દેવોને મારો,
અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે.
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇથી,
તમારા પ્રતાપે બધા ઓળખે છે.

સુરાને ખબર છે, પિછાણે છે પ્યાલી,
અરે ખુદ અતિથિ ઘટા ઓળખે છે ;
ન કર ડોળ સાકી, અજાણ્યા થવાનો,
મને તારું સૌ મયકદા ઓળખે છે.

મે લો’યાં છે પાલવમાં ધરતીનાં આંસુ,
કરુણાનાં તોરણ સજાવી રહ્યો છું,
ઊડી ગઇ છે નીંદર ગગન-સર્જકોની,
મને જ્યારથી તારલા ઓળખે છે.

અમે તો સમંદર ઉલેચ્યો છે પ્યારા,
નથી માત્ર છબછબિયાં કીધાં કિનારે,
મળી છે અમોને જગા મોતીઓમાં,
તમોને ફક્ત બદબુદા ઓળખે છે.

તબીબોને કહી દો કે માથું ન મારે,
દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગી છું જેને,
બહુ સારી પેઠે દવા ઓળખે છે.

દિલે ‘શૂન્ય’ એવા મેં જખ્મો સહ્યા છે,
કે સૌ પ્રેમીઓ મેળવે છે દિલાસો,
છું ધીરજનો મેરુ, ખબર છે વફાને,
દયાનો છું સાગર, ક્ષમા ઓળખે છે.

-શૂન્ય” પાલનપુરી

આંખડી છેડે સરગમ, હૃદય તાલ દે, અંતરો ગાય પંચમના સૂરે ગઝલ


આંખડી છેડે સરગમ, હૃદય તાલ દે, અંતરો ગાય પંચમના સૂરે ગઝલ;
દર્દ અંગડાઇ લે, પ્રેમ ઝૂમી ઊઠે, રૂપ ઝણકાવે પાયલ ને સ્ફુરે ગઝલ.

દૃશ્ય સર્જાય મોંઘું મિલનનું અને સાથિયા ચાંદ-સૂરજના પૂરે ગઝલ;
દોર ગોઝારો જામે વિરહનો અને રાતના ઘોર સન્નાટે ઝૂરે ગઝલ.

ઊર્મિઓને કશું ક્યાંય બંધન નથી,લાગણી મુક્ત છે સ્થળ અને કાળથી;
બુલબુલોએ રચી ગુલશનોમાં અને આમ્ર-કુંજોમાં ગાઇ મયૂરે ગઝલ.

બે ધડકતા દિલોની કહાણી બને, રંગ ભીની કરુણાની લ્હાણી બને,
પ્રેમ ને રૂપની દિવ્ય વાણી બને, તો જ પહોંચી શકે દૂર દૂરે ગઝલ.

દેહના કોડિયે, પ્રાણની વાટને, લોહીમાં ભીંજવીને જો બાળી શકો,
તો જ પ્રગટી શકે દર્દની મ્હેફિલે, દિલને રોશન કરે એવું નૂરે ગઝલ.

જન્મ-મૃત્યુ છે, મત્લા ને મક્તા ઉભય, શ્વાસના કાફિયા, જિંદગીનો વિષય ;
રંગ લૌકિક છે પણ અલૌકિક લય , ગાય છે ‘ શૂન્ય’ ખુદની હજૂરે ગઝલ.

-“શૂન્ય” પાલનપુરી

દુ:ખમાં જીવનની લાણ હતી, કોણ માનશે


દુ:ખમાં જીવનની લાણ હતી, કોણ માનશે ?
ધીરજ રતનની ખાણ હતી, કોણ માનશે ?

શૈયા મળે છે શૂળની ફૂલોના પ્યારમાં !
ભોળા હ્રદયને જાણ હતી, કોણ માનશે ?

કારણ ન પૂછ પ્રેમી હ્રદય જન્મ-ટીપનું,
નિર્દોષ ખેંચ-તાણ હતી, કોણ માનશે ?

ઈશ્વર સ્વરૂપે જેને જગત ઓળખી રહ્યું,
એ ‘શૂન્ય’ની પીછાણ હતી, કોણ માનશે ?

-શૂન્ય ‘પાલનપુરી’

મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી


મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી,
બીકથી વહેવાર ચૂકી જાઉં એવો હું નથી;
જાન દીધો છે ખુદાએ ચાર દિ’ માટે ઉધાર,
એને પાછો સોંપતાં અચકાઉં એવો હું નથી.

શું કુબેરો ? શું સિકંદર ? ગર્વ સૌનો તૂટશે,
હો ગમે તેવો ખજાનો બે જ દિનમાં ખૂટશે;
કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી,
આજ તો ફૂટી છે પ્યાલી, કાલ કૂંજો ફૂટશે.

હર પ્રભાતે ચેતવે છે કૂકડાઓની પુકાર,
જો ઉષાના દર્પણે તારા જીવન કેરો ચિતાર;
જાગ ઓ નાદાન, વીતી રાત આખી ઊંઘમાં,
આયખું એમ જ ઘટી જાશે કદી કીધો વિચાર ?

-ઉમર ખય્યામ (અનુવાદ: ‘શૂન્ય’ પાલનપુરી)

બાવરા થઈને કદી દરદર ન ભમવું જોઈએ


બાવરા થઈને કદી દરદર ન ભમવું જોઈએ,
ભાગ્ય સારું હો કે નરસું મનને ગમવું જોઈએ;
વ્યોમની ચોપાટ છે ને સોગઠાં પુરુષાર્થનાં,
જેમ પડતા જાય એમ રમવું જોઈએ !

– ઉમર ખૈયામ
( અનુ.’શૂન્ય’ પાલનપુરી )

દુઃખમાં જીવનની ભાળ હતી, કોણ માનશે?


દુઃખમાં જીવનની ભાળ હતી, કોણ માનશે?
ધીરજ રતનની ખાણ હતી. કોણ માનશે?

શૈય્યા મળે છે શૂળની ફૂલોના પ્યારમાં.
ભોળા હૃદયને જાણ હતી. કોણ માનશે?

લૂંટી ગઇ છે યાર! ઘડીના પ્રવાસમાં.
યુગ-યુગની ઓળખાણ હતી. કોણ માનશે?

ઉપચાર તો ગયા અને આરામ થઇ ગયો.
પીડા જ રામબાણ હતી. કોણ માનશે?

ઇશ્વર સ્વરૂપે જેને જગત ઓળખી રહ્યું.
એ શૂન્યની જ પીછાણ હતી. કોણ માનશે?

– ‘શૂન્ય’ પાલનપુરી

મીંચેલી આંખે મળ્યો જ્યારે જાગરણનો અર્થ


મીંચેલી આંખે મળ્યો જ્યારે જાગરણનો અર્થ,
ત્યારે ખબર પડી કે છે શું આવરણનો અર્થ.

સંકોચ શું છે એની ખરી ત્યારે જાણ થઇ,
મૃગજળને જઇને પૂછ્યો મેં વહેતાં ઝરણનો અર્થ.

આબોહવા તો હોય છે – આબોહવાનું શું?
વાતાવરણ જો હોય તો વાતાવરણનો અર્થ ?!

છેવટનો અંત આવી ગયો સૌ પ્રયાસનો,
મારી નજીક એ જ છે મંગળાચરણનો અર્થ ?

નિષ્ઠુર છું – હું ચાહું તો તો હમણાં હસી શકું,
પણ એમાં દિલ ન લાગે તો શું આચરણનો અર્થ?

છૂટા પડી ગયા તો સમજદાર થઇ ગયા,
સમજી ગયા કે શું હતો એકીકરણનો અર્થ.

સ્વપ્નાની વાત કોઇને કહેતા નથી હવે,
સમજી ગયા છે ‘સૈફ’ હવે અવતરણનો અર્થ.

-‘સૈફ’ પાલનપુરી