એક દીપ તણાયો જાય,
જલમાં દીપ તણાયો જાય ;
કમળ સમો ઘૂમે વમળોમાં,
વાયુમાં વીંઝાય:
જલમાં દીપ તણાયો જાય.
અંધારાના અંચલ ભેદી
પંથ પાડતો જાય ,
તરંગની ચંચલ અસવારી
કરી તેજ મલકાય :
જલમાં દીપ તણાયો જાય.
ઘડીક નમણી જ્યોતિ નાજુક
સંપુટમાં જ સમાય,
ઘડીક ભવ્ય ભૂગોલ ખગોળે
દીપશિખા લહેરાય :
જલમાં દીપ તણાયો જાય.
વાટ વણી ના ના પેટાવ્યો,
પોતે પરગટ થાય ;
નહીં મેશ કે નહીં મોગરો
કેવલ તેજલ કાય :
જલમાં દીપ તણાયો જાય.
– બાલમુકુન્દ દવે
Filed under: બાલમુકુન્દ દવે |

bahuj saras …………………..
aa rojbaroj na E-jivan ma aavi saras kavita vaanchi ghanij shanti male che.
[…] જલદીપ […]