દીલસા થી હવે દુઃખ દીલ ને પારાવાર લાગે છે,


દીલસા થી હવે દુઃખ દીલ ને પારાવાર લાગે છે,
હ્રદય પર હાથ રાખો મા, હ્રદય પર ભાર લાગે છે.

મને સંસાર સારો શુન્ય ભાસે છે તમારા સમ,
નવાઈ છે તમોને શુન્ય મા સંસાર લાગે છે.

તમારે કાર્ય કઈ કરવુ નથી,કરવા નથી દેવુ,
દખલગીરી તમારી મીત્રો અત્યાચાર લાગે છે.

ભયંકર મા ભયંકર રોગ લાગે પ્રેમ તો સૌને,
મને અકસીર મા અકસીર એ ઉપચાર લાગે છે.

નવાઈ છે દુઃખી મા પણ્ દુઃખી છુ તોય પણ “ઘાયલ”
મને મળનાર ને મારો સુખી સંસાર લાગે છે.

-“ઘાયલ”

5 Responses

  1. હ્રદય પર હાથ રાખો મા
    મારા માનવા પ્રમાણે કદાચ …… હ્રદય પર હાથ રાખું તો .. એમ હોવું જોઇએ.

  2. સુરેશભાઇ; તમારા પર ઉંઝા જોડણી વિષે જે પ્રહારો થઇ રહ્યાં છે એનાથી ભાગવા માટે બીજાના બ્લોગ પર જઇ ભાષાદોષ, જોડણીદોષ શોધી તમે શું પુરવાર કરવા માગો છો?

    તમે તમને પૂછાતા અસંખ્ય પ્રશ્નોનો ઉત્તર તો આપો.

    http://pateldr.wordpress.com/2007/06/28/aavya_kane_chandrakant_sheth/

  3. Sureshbhai,U better start encouraging people who write instead of giving ur master opinion everytime.Ur comments are literally discouraging…

  4. I think U r right Ami.Sureshbhai,lets do it this way…u post atleast one if ur own creation.We will comment on it & If u dont like people doing so,then u urself better stop doing so.

  5. even i m agree with you Ami & Priyank.. but did you notice that even ghayal saheb ne pan aa nathi gamtu.. just read this..

    તમારે કાર્ય કઈ કરવુ નથી,કરવા નથી દેવુ,
    દખલગીરી તમારી મીત્રો અત્યાચાર લાગે છે.

    jani saheb i respect you and your effort. but please dont try to colour taj mahal…its beautiful as it is….

Leave a reply to palashkhan જવાબ રદ કરો