ઉકળી ઊઠે તું એવા વિધાનો નહીં કરું;
જા આજથી તને સવાલો નહી કરું.
મારી બધી મહાનતા ભૂલી જઈશ હું,
તકતીઓ ગોઠવીને તમાશો નહીં કરું.
એમાં વણાઈ ગ્યુંછે વણનારનું હુનર પણ,
હું એમાં મારી રીતે સુધારો નહીં કરું.
તું સાચવ્યાંના સઘળાં નિશાનોય સાચવીશ,
એથી જ તારે ત્યાં હું વિસામો નહીં કરું.
નારાજગી જ મારો સાચો સ્વભાવ છે,
એથી વધું હું કોઈ ખુલાસો નહીં કરું.
ચંદ્રેશ મકવાણા
Filed under: ચંદ્રેશ મકવાણા |

ketlu sunder thai sake ,,jo koi aam kari sake!!
beautiful…….
MAJA AAVI CHANDRESH NO CHAHERO PAN SAME AAVI GYO ……
very good, Mr.Makwanasir…..fine…best of luck..
નારાજગી જ મારો સાચો સ્વભાવ છે,
એથી વધું હું કોઈ ખુલાસો નહીં કરું.
manas સ્વભાવ kyarey chhodi sakto nathi.
khulasho koik j kre 6.