મિચ્છામી દુક્કડ્મ


નાજુક ફુલ જેવા દિલ પર…
જયારે કોઈ કાંટાળો વજ્રઘાત પ્રહાર કરે છે…
.. ત્યારે…
દિલ ખળભળી ઉઠે છે….
…ને… સર્જાય છે…
બે અનમોલ દિલ વચ્ચે
વેર અને બદલાની દિવાલો..
…ને…એને ભેદે છે માત્ર પ્રશ્ચાતાપ…
તો ચાલો આપણે પણ કોઈનુ મન જાણતા અજાણતા દુભાવ્યુ હોય
તો મિચ્છામી દુક્કડ્મ કરી એમને મનાવી લઈયે….

– હસમુખ ધરોડ ‘અંકુર’

તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી


તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,
સારું થયું કે કોઈ મનુજે લખી નથી.

કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.

શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરાનમાં તો ક્યાંય પયગંબરની સહી નથી.

ડૂબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને,
મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી.

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,
જીવનની ઠેસની હજુ કળ વળી નથી.

– જલન માતરી

પચાવી ગયો છું


કતારો અશ્રુની પચાવી ગયો છું
છતાં જિંદગીને હસાવી ગયો છું

તમોને હવે તો ક્યાં ફરિયાદ કરવી
હતાશા પળોની હટાવી ગયો છું

લખાયાં અમારાં નસીબો બધાંયે
પછી પણ ઘસીને મિટાવી ગયો છું

ઘણી લાગણીઓ વરસતી રહીછે,
બધાંયે ગમો ગટ ગટાવી ગયો છું

ઉઘાડી કબર?ને સમયને સહારે
હજારો વરસથી ઘસાઈ ગયો છું.

-સુનીલ શાહ

નહીં તો શું..?


જગતના માણસો મારી કદર કરશે નહીં તો શું?
સરકતી રેતની સંગે સમય ફરશે નહીં તો શુ?

બહુ ઓછાં ફુલોને સ્પર્શવાનું ભાગ્ય પામ્યો છું
સુગંધોના બજારે જો પવન મળશે નહીં તો શુ?

દુવાઓ આમ કરવાની સમજ હોતી નથી ત્યારે

ગગનના પાલવેથી તારલા ખરશે નહીં તો શું?

ખુશીની કોઈ પળ આવે સદા એવું જ ચાહીએ
છતાં પડઘા દીવાલે આથડી ફરશે નહીં તો શું?

ઘણી સંભાળ રાખીને લખી છે આ ગઝલ આજે
દફન વેળા જરા ઉજાસ પથરાશે નહીં તો શું?

– સુનીલ શાહ

તું ઢાળ ઢોલીયો, હું ગઝલનો દીવો કરું,


તું ઢાળ ઢોલીયો, હું ગઝલનો દીવો કરું,
અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને.

-મનોજ ખંડેરિયા

આંખને ખૂણે હજીયે ભેજ છે,


આંખને ખૂણે હજીયે ભેજ છે,
આ ગઝલ લખવાનું કારણ એ જ છે.

-ચિનુ મોદી

મારી તમ્મનાઓનોય ભાર હશે… !!!


દુનીયા ની દરેક ગલીઓમાં મુજ પ્રેમ નો પ્રચાર હશે
દબાયેલ કાતિલ યાદ નો મરણીયો પોકાર હશે… !

સ્વપન તો તુટ્યુ હતુ… મેઘલી મધરાતે જ…
મનને માંડ મનાવ્યુ કે જવા દે યાર એ સવાર હશે… !

તમારી યાદ તો રિબાવી રિબાવી ને તડફડાવે છે…
મોત નો.. જ.. આ.. નક્કી બીજો પ્રકાર હશે… !

નંહિતર પુછત નંહિ ડાઘુઓ મારી લાશ ને ઉંચકતા જ ‘અંકુર’
મારા શરીર સાથે સુતેલ મારી તમ્મનાઓનોય ભાર હશે… !!!

-હસમુખ ધરોડ ‘અંકુર’

ડરે છે જ શાને?


સમયના ફણી થી ડરે છે જ શાને?
દરદના ઝરણમાં ઝરે છે જ શાને?

પળો હોય જો જિંદગીમાં હુંફાળી
વરાળો બનીને ઠરે છે જ શાને?

ખયાલો સજાવી સદાયે હજારો
નશીલી પળોએ ધરે છે જ શાને?

સદાયે શ્વસે એ હ્રદયના ઈશારે
સલામી અવરને ભરે છે જ શાને?

ક્ષણોની ભવંરમાજ કેદી બનેલી
હવાઓ હવે તો ફરે છે જ શાને?

– સુનીલ શાહ

સાવ જ અજાણ્યો થઈ ગયો છે પ્રેમ


સાવ જ અજાણ્યો થઈ ગયો છે પ્રેમ
કિન્નાખોરી કરી રહેલ
‘મન’થી ત્રાસી ગયો છે પ્રેમ !
પ્રેમને સાચવું કે ‘મન’ને ?
અસ્તિત્વ પ્રેમનું કેવી રીતે રાખવું હેમખેમ ?
પ્રેમ નથી બોલતો કે નથી
કોઈ હાવભાવ દેખાડતો
સ્તબ્ધ અવસ્થામાં નિસ્તેજ થઈ ગયો છે પ્રેમ.
ભાવનાત્મકતા પણ હવે ભ્રમ લાગવા માંડી છે,
લાગણીઓના બોજ તળે દબાઈ ગયો છે પ્રેમ,
શોધું છું..શોધું છું..છતા નથી જડતો
અસ્તિત્વના ખડકમાં ક્યાંક દટાઈ ગયો છે પ્રેમ..

નરેન્દ્ર સોનાર ‘પંખી’

ખૂબ અંદરબહાર જીવ્યો છું


ખૂબ અંદરબહાર જીવ્યો છું
ઘૂંટેઘૂંટે ચિકાર જીવ્યો છું

હું ય વરસ્યો છું ખૂબ જીવનમાં
હું ય બહુ ધોધમાર જીવ્યો છું

બાગ તો બાગ, સૂર્યની પેઠે-
આગમાં પુરબહાર જીવ્યો છું

આમ ‘ઘાયલ’ હું અદનો શાયર, પણ
સર્વથા શાનદાર જીવ્યો છું

-‘ઘાયલ’

તમે પૂછશો નહી કે અમને કેમ છે


“તમે પૂછશો નહી કે અમને કેમ છે,
અમે સારા છીએ એ તમારો વહેમ છે,
બરબાદ તો થઈ ગયા હતા તમારા પ્રેમમા,
પણ થોડો અમારા પર ખુદાનો રહેમ છે.”

દશા મારી અનોખો લય અનોખો તાલ રાખ છે,


દશા મારી અનોખો લય અનોખો તાલ રાખ છે,
કે મુજને મુફલીસીમાં પન માલામાલ રાખે છે.

નથી એ રાખતા કૈ ખ્યાલ મારો કેમ કહેવાયે,
નથી એ રાખતા તો કોણ મારો ખ્યાલ રાખે છે?

મથે છે આંબવા કિન્તુ મરણ આંબી નથી શકતુ,
મને લાગે છે મારો જીવ ઝદપિ ચાલ રાખે છે.

જમાનો કોણ જાણે વેર વાળે છે ક્યા ભવનુ?
મલે છે બે દિલો ત્ય મધ્યમા દીવાલ રાખે છે.

જીવન નુ પુછતા હો તો જીવન છે ઝેર “ઘાયલ”નું,
છતા હિમ્મત જુઓ ક નામ અમૃતલાલ રાખે છે.

-“ઘાયલ”

મિત્ર…!!!


દુખ વિષય પર એક નિબંધ લખવા બેઠો…
બહુ વિચાર્યુ …ના કાં ઇ સુજ્યુ…
હાય ….રે…નિબંધ…અધુરો રહ્યો..
એક મિત્ર ની સાથે મિત્રતા બાંધી….
હાશ….!!! નિબંધ પુર્ણ થયો…..!!!

– હસમુખ ધરોડ ‘અંકુર’

મને એવી રીતે કઝા યાદ આવી,


મને એવી રીતે કઝા યાદ આવી,
કોઈ એમ સમજે દવા યાદ આવી.

નથી કોઈ દુ:ખ મારા આંસુનું કારણ,
હતી એક મીઠી મજા યાદ આવી.

જીવનના કલંકોની જ્યાં વાત નીકળી,
શરાબીને કાળી ઘટા યાદ આવી.

હજારો હસીનોના ઈકરાર સામે,
મને એક લાચાર ‘ના’ યાદ આવી.

મોહબ્બતના દુ:ખની એ અંતિમ હદ છે,
મને મારી પ્રેમાળ મા યાદ આવી.

કબરના આ એકાંત,ઊંડાણ,ખોળો,
બીજી કો હુંફાળી જગા યાદ આવી.

સદા અડધે રસ્તેથી પાછો ફર્યો છું,
ફરી એ જ ઘરની દિશા યાદ આવી.

કોઈ અમને ભૂલે તો ફરિયાદ શાની!
’મરીઝ’ અમને કોની સદા યાદ આવી?

-’મરીઝ’

તું કેમ છે ઉદાસ ???


સરોવર શાંત છે તું કેમ છે ઉદાસ ?
વરસાદની છે રાહ ફરફરે છે ઘાસ..
આમ નરી આંખે કંઇ દેખાય ભલે નહીં,
છતાં ખાતરી રાખજે કોઇ છે આસપાસ….

આ યાદ છે આપની કે યાદોમાં આપ છો ?


આ યાદ છે આપની કે યાદોમાં આપ છો ?
આ સપના છે આપના કે સપનાઓમાં આપ છો ?
અમે નથી જાણતા અમને બસ એટલું તો કહો,
અમે જાન છીએ આપની કે આપ અમારી જાન છો ? ? ?

ઉપાલંભ…!!!


ફુલ હંમેશ બસ કચડાયા કરે છે જ્યાં…
ને…એ…વજ્રદિલને લોક ચમન કહે છે…

હ્રદય ની આગ તો બસ બળ્યા કરે છે…
ને..એ…ધગધગતી દાહ ને લોક શમન કહે છે…

એક જ નજરે સો -સો ઘાયલ થાય છે…
ને..એ…તલવાર ને લોક ‘નયન’ કહે છે…

યાદોના પોટલા તો… દિલમાં.. જ.. કંડારાયા
ને..એ…દિલને સમૃતિ નુ લોક વહન કહે છે…

તેજ દેહ નું તો ક્યાંય દેખાતું નથી…!!!
ને..એ…ખાલી પુતળા ને લોક વદન કહે છે…

ખર્યા નથી કદીયે એક પણ સિતારા…. ‘અંકુર’
ને..એ…મુઠભર કુદરત ને લોક ગગન કહે છે…!!!

– હસમુખ ધરોડ ‘અંકુર’

આરજુ….!!!


તમારી યાદને બસ હું દિલથી ભુલાવી ના શક્યો..!
ને…! દિલ ની દુનીયાને ફરીથી વસાવી ના શક્યો…!!

ખબર તો હતી જ કે ત્યાં નથી કોઈ મંઝિલ મારી…
…પણ મારી એ રાહ ને હું બદલાવી ના શક્યો…!

તમારી આ… યાદે… તો કેટલા કર્યા છે બેહાલ અમને ..!
કે ખુદ મારા જ પ્રતિબિંબ ને હું જ પિછાણી ના શક્યો !!!

આમ તો , સામે જ વેરાણું હતુ આંસુઓનુ સમંદર …..
લાચાર હતો, મારી જ પ્યાસ ને હું બુઝાવી ના શક્યો

આમ તો હતી ઘણી જગ્યા આ નાનકડા દિલમાં…
પણ બે બુંદ તમારા પ્રેમના હું સમાવી ના શક્યો…

કે અશ્રુ વાટે વહેવડાવી દીધા મે તમને…’અંકુર’
દિલમાં તો શું ? બે ક્ષણ આ નયન માં પણ વસાવી ના શક્યો…!!!

– હસમુખ ધરોડ ‘અંકુર’

તવંગર ભિખારી…!!!


મુજ દિલની પ્યાસ ને હું આંસુઓ પી ને બુજવતો આવ્યો છુ…
ને…જીંદગી ભરથી ગમ ખાઈ ને..ગુજારો કરતો આવ્યો છુ…

ના આંસુઓ વહેવડાવજો મુજ આ એકલતાભરી દશા પર
છેક…..જન્મ થી જ બસ એકલો જ ચાલતો આવ્યો છુ…!!!

આંસુઓ ખુટ્યા છે આજ નયન ભંડારના એટલે… જ…
ઝાંઝવાના નીર કાજ – આજ અંહિ ભટકતો આવ્યો છુ…

તદ્દ્દન ખરું છે કે પ્રેમ એ આંધળો છે…
માટે જ છતી આંખો એ બસ હું અથડાતો આવ્યો છુ…

નથી રહી જ્ગ્યા દિલમાં હવે વધુ વેદનાને સંઘરવા..
છતાં યે બસ એ જ મંઝિલોને હું ચાહતો આવ્યો છુ…

આમ તો છુ હું બેતાજ બાદશાહ શબ્દો નો ‘અંકુર’
પણ તુજ દ્વારે આજ ભિખારી બનીને દિલ માંગવા આવ્યો છુ…!!!

– હસમુખ ધરોડ ‘અંકુર’

કટી પતંગ


એક કટી પતંગ ની જેમ હું ગગનમાં લથડાતો ચાલ્યો,
કોઈ ટીખળ ના હાથમાં પકડાતો ચાલ્યો…
જેમ કટી પતંગ પકડાઈ ને જુદા રંગના રંગીન દોરે ચડે છે,
એમ હું જીવનના રંગ બદલાવતો ચાલ્યો…!!!

– હસમુખ ધરોડ ‘અંકુર’

યાદ…ફરિયાદ…!!!


કોઈકની યાદ માં…
કોઈકની ફરિયાદ માં…
દિલ ભળ..ભળ..જલતું હતું…
ને..હું મુર્ખ !
દિલની આગ ને બુઝવવાના વ્યર્થ પ્રયાસ કરતો હતો…
આંસુઓ વહેવડાવીને…!!!

– હસમુખ ધરોડ ‘અંકુર’

તડફડાટ…!!!


નજર…નજર…માં જોઇલો આ તફાવત છે કેટલો ?
નયન દુર હોવા છતાં દિલ કહે છે એ પાસ હશે…!

પ્રસરતી યાદ ને રોકવી રહેવા દો દોસ્તો…
નક્કી એને ચારેકોર થી મારી જ તલાશ હશે…!

નથી કંડારાયો હું હજી કોઇ અજાણ્યા દિલમાં,
કદાચ ! મારા દિલને મારો જ ત્રાસ હશે…!

આંસુ જો રંગીન હોત તો તેમાંય મેચીંગ હોત…!!!
ખુદા આમાંય ક્યાંક માનવી નો ક્ટાક્ષ હશે…!

નહિં તો રોકાત નહીં રેતી પેલી રેતશીશી માં…
નક્કી એમાં સમયનો કારમો નિશ્વાશ હશે…!

બહુ સંભાળી ને વાંચજો આ ગઝલ ‘અંકુર’ ની દોસ્તો…
નયન ભીના થયા છે…તેમાં યે ક્યાંક શબ્દોનો તડફડાટ હશે…!!!

– હસમુખ ધરોડ ‘અંકુર’

અદાલત…!!!


નાજુક ફુલો
ઉભા આરોપી જેમ
કાંટા ની કોર્ટે !!!
– હસમુખ ધરોડ ‘અંકુર’

કેલેન્ડર….!!!


કેલેન્ડર મેળવો
વિના મુલ્યે
દિવાલો બતાવીને
– હસમુખ ધરોડ ‘અંકુર’

સંતાકુકડી……………………..!


સંતાકુકડી
રમે સુરજ ચાંદ
સવાર સાંજ
– હસમુખ ધરોડ ‘અંકુર’