સખી મને તેં સરોવર કહ્યો એ ઘટનાને
હું મારાં ગીતકમળથી લે ચાલ, શણગારું.
હવે હું પીળી પડેલી છબીની જેવો છું
તને ગમે તો પ્રણયની દીવાલ શણગારું.
આ મારા હાથમાં ખાલીપણાંના ફૂલો છે
કહે તો આપણો આ આજમ્હાલ શણગારું.
હવે વસંત કે ફૂલની પ્રતીક્ષા કોણ કરે ?
હું મારા વ્હાલથી તારું વ્હાલ શણગારું.
તને આ જિંદગી જેવો જવાબ આપીને
નજીકથી તેં કરેલો સવાલ શણગારું .
– રમેશ પારેખ
Filed under: રમેશ પારેખ | Tagged: આજમ્હાલ, ગમે તો, ગીતકમળથી, જિંદગી જેવો જવાબ, જેવો, તારું વ્હાલ, તેં, નજીકથી તેં કરેલો સવાલ, પીળી પડેલી છબીની, પ્રણયની દીવાલ શણગારું, ફૂલો, મને, મારા વ્હાલથી, લે ચાલ, શણગારું, સખી, સરોવર કહ્યો એ ઘટનાને, હવે, હાથમાં ખાલીપણાંના, હું મારાં | 3 Comments »
