હોવાના પર્યાયતણું જો ભાન થવાનું,
શ્વાસો વચ્ચે ક્ષણનું આતમજ્ઞાન થવાનું !
ટેકરીઓના વાતા પવનો જોયા કરજો,
આકાશી રસ્તા પર તમને માન થવાનું !
સહુ જાંબુડી ઇચ્છાના દરવાજે ઊભા,
કોને કહેવું ? કોનું અહીં બહુમાન થવાનું !
પાછી પેલી ઋષિજન જેવી વાત કહું લો,
મીઠું મીઠું મૌન મહીં પણ ગાન થવાનું !
અગધ-પગધના રસ્તે ‘સાધુ’ ચાલ્યા કરજો,
સંતો કહે છે: કોલાહલમાં ધ્યાન થવાનું !
– શ્યામ સાધુ
Filed under: ગઝલ, શ્યામ સાધુ | Tagged: આતમજ્ઞાન, કોલાહલમાં ધ્યાન, ક્ષણનું, ગઝલ, ગુજરાતી ગઝલ, જો ભાન થવાનું, થવાનું !, બહુમાન, શ્યામ સાધુ, શ્વાસો વચ્ચે, સંતો કહે છે:, હોવાના પર્યાયતણું, Gazal, gujarati, gujarati gazal, gujarati poem, gujarati poetry, shyam sadhu | 2 Comments »
