ગાઢ ધુમ્મસપટની પેલે પાર તું હોઈ શકે,
રંગ રેખા કે નહીં આકાર તું હોઈ શકે.
કોઈ મારા બારણે જાસાચિઠ્ઠી નાખી ગયું,
અક્ષર તો ક્યાંથી ઉકલે લખનાર તું હોઈ શકે.
રાગ પારિજાત લ્હેરાતો રહ્યો છે રાતભર,
ક્યાંક નજદીક બેસીને ગાનાર તું હોઈ શકે.
આટલાં વ્હાલાં મને લાગ્યાં નથી પૂર્વે કદી,
આ અભાવો, પીડ મોકલનાર તું હોઈ શકે.
– પુરુરાજ જોષી
( આ રચના પૂરી છે કે અધુરી એ ખબર નથી, જો કોઈને જાણ હોય તો ધ્યાન દોરશો…)
Filed under: કવિ/કવિયત્રી, કવિતા, ગઝલ, ગીત, પુરુરાજ જોષી | Tagged: અક્ષર, અભાવો, આટલાં વ્હાલાં, ક્યાંક નજદીક બેસીને, ક્યાંથી ઉકલે, ગાનાર, જાસાચિઠ્ઠી નાખી ગયું, તું હોઈ શકે, નથી પૂર્વે કદી, પીડ, પુરુરાજ જોષી, મને લાગ્યાં, મારા બારણે, મોકલનાર, રાગ પારિજાત, રાતભર, લખનાર, લ્હેરાતો રહ્યો છે | 5 Comments »
