આ ધોધમાર વરસે, ચોમેર ધાર વરસે;
હું કેટલુંક ઝીલું? અનહદ અપાર વરસે !
ના શ્રાવણી અષાઢી વરસાદના દિવસમાં,
એ તો અકળ અમસ્તું બસ વાર-વાર વરસે।
ભીંજાઉં ન્હાઉં ડૂબું આઘે તણાઉં એવું.
આ નેહના ગગનનો સઘળોય સાર વરસે।
હા જો કહું તો વરસે, ના પણ કહું તો વરસે,
કંઈ ના કહું તો આવી આવી ધરાર વરસે,
છલકી જવાય એવું કે છોળ થઈ જવાતું,
ઘેઘૂર ને ઘૂઘવતો એવો ખુમાર વરસે।
– નયના જાની
Filed under: કવિ/કવિયત્રી, નયના જાની | Leave a comment »
