જખ્મ ભીતર થાય તો લખવું બને,
માણસો પરખાય તો લખવું બને.
સ્મિત કાજે એટલાં તરસો અને,
આંસુ જો રેલાય તો લખવું બને.
ફૂલ માફક સાચવ્યું જેને હતું,
સ્વપ્ન એ રોળાય તો લખવું બને.
લો, કિનારો સાવ તો પાસે હતો,
નાવ ડૂબી જાય તો લખવું બને.
સાદ કીધો જઈ શિખરની ટોચ પર,
લાગણી પડઘાય તો લખવું બને.
– હરીશ પંડ્યા
Filed under: હરીશ પંડ્યા | Tagged: જખ્મ ભીતર થાય, માણસો પરખાય, લખવું બને, હરીશ પંડ્યા, Gazal, harish pandya |

ખુબ જ ભાવસભર અને સુંદર રજૂઆત છે..
AE TO JE KHUD ANUBHAVE AENE KHABAR PADE JYARE KOI NU DIL TUTE TO KAVI NA HOVA 6ATA KAVI BANI JAY ANE LAKHVANU MAN THAI JAY
REALLY NICE
Am to lakay baduj 6e pan kem lakay 6e? E laknar tame rahya,lakvana harday sparsi karno apya tame realy nice