ઓધા, ચૈતરના ચારે જુગ વૈ ગિયા
એવો વખ રે સરીખો વૈશાખ, ઓધવજી
જેઠે જીવણજી શું ના’વિયા.
ઓધા, અષાઢી ઘમઘોરિયા
એવો શ્રાવણ સેવ્યો ન જાય રે, ઓધવજી
ભાદરવો ભલે ગાજિયો.
ઓધા, આસોનાં અજવાળિયાં
એવા કારતકે પૂર્યા મનના કોડ રે, ઓધવજી
માગશરે મળ્યા મીઠા માવજી.
ઓધા, પોષે સુકાણો પોપટ પાંજરે
એવા માયે સુકાણાં મારાં મન રે, ઓધવજી
ફાગણ ફૂલ્યો ફૂલડે .
ઓધા, સુંદરી સંદેશો મોકલે
એના સંદેશે વે’લેરા પધારો રે, ઓધવજી
સુંદરી મો’લુમાં એકલાં
ઓધા, તમથી ભલાં વનનાં પંખીડાં
એ સાંજ પડે ને ઘેર જાય રે, ઓધવજી
સુંદરી મો’લુમાં એકલાં
– ઝવેરચંદ મેઘાણીના ‘રઢિયાળી રાત’માંથી
Filed under: કવિ/કવિયત્રી, ગીત |

SHRI MEGHANIJINE SHRADDHHANJALI………