પામવું જો હોય ચોમાસું, પલળવું જોઈએ;
છાપરું, છત કે નયન થઈનેય ગળવું જોઈએ.
એ શરત છે કે પહેલાં તો પ્રજળવું જોઈએ;
તે પછી લેખણથી શબ્દોએ ‘પીગળવું’ જોઈએ.
સૂર્યની માફક ઊગ્યા છો તે ઘણું સારું થયું;
સૂર્યને માફક સમયસર કિન્તુ ઢળવું જોઈએ;
માત્ર શોભા પૂરતા અસ્તિત્વનો શો અર્થ છે?
પુષ્પ છો તો શ્વાસ છોડીને પીગળવું જોઈએ.
છે ઘણી રેખા વિરહની હાથમાં એ છે કબૂલ ;
પણ નવી રેખાઓ ચીરીનેય મળવું જોઈએ.
માત્ર શબવત જિંદગી જીવી ગયાનો અર્થ શો ?
છે રગોમાં લોહી તો લોહી ઊકળવું જોઈએ.
આવી પહોંચ્યું છે જળાશય આંખનું ; હું જાઉં છું;
ને તમારે પણ અહીંથી પાછા વળવું જોઈએ.
– ભગવતીકુમાર શર્મા
Filed under: ભગવતીકુમાર શર્મા |

Nice gazal
aetalu to shuddh anter saaf hovu joiye
ne navodito ne mali na ko di jalvu joiye…
આવી પહોંચ્યું છે જળાશય આંખનું ; હું જાઉં છું;
ને તમારે પણ અહીંથી પાછા વળવું જોઈએ.
saras gazal no saras sher.
very much nicee