મિત્રો, આજે રાધાઅષ્ટમીના બહાને ફરી એકવાર કાનુડાને, તેની વાંસળીને અને વાંસળીને વેરણ કહીને રોષ વ્યક્ત કરતી રાધાને યાદ કરી લઈએ…
આ કૃષ્ણગીતના રચયિતા કોણ છે તે મને ખબર નથી, જો આપ સૌમાંથી કોઈ જણાવશો તો આનંદ થશે અને મારી જાણકારીમા વધારો પણ…
ઓ શ્યામ
વેણુનાં નાદમાં નન્દકિશોર હું, ખોઈ સુધબુધ આવી પાંસરી.
પ્રીતની રીત કેવી શોધી ઓ શ્યામ તમે, હૈયું વલોવે મારું વાંસળી.
ઓ શ્યામ..
દેહભાન ભૂલાવી ખેંચી લાવી મને, જીવનપ્રાણ તારી વાંસળી.
હૈયાના હૈયાને જાણે નચાવતી, તારી નઠારી આ વાંસળી.
ઓ શ્યામ..
પ્રીતના પારખાં ના હોય સતામણી, સાચી છે પ્રીત મ્હારી શ્યામરી.
બંસીના બોલ ભલે હોય મધુરાં, પ્રીત શું જાણે તારી વાંસળી.
ઓ શ્યામ..

Leave a comment